આયંબિલ ઓળી પ્રારંભ (જૈન)

શ્વેતાંબર જૈનો દરેક વર્ષ દરમિયાન બે વાર આંબેલ વ્રત અથવા આયંબિલ ઓળીનું વ્રત કરે છે. આ વ્રત તમામ તીર્થંકરોના સમયમાં ચૈત્ર અને આસો મહિનામાં કરવામાં આવતું. આ કારણે તેને શાશ્વત વ્રત તરીકે પણ ઓળખવામા આવે છે. પહેલું વ્રત ચૈત્ર મહિનામાં સુદ સાતમથી ચૈત્રી પૂનમ સુધીના નવ દિવસનું હોય છે. જ્યારે બીજું વ્રત આસો મહિના દરમિયાન સુદ આઠમથી શરદ પૂનમ સુધીના નવ દિવસનું હોય છે.