ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી

જાહેર રજા બેંક રજા
ભારત રત્‍નના ઉપનામથી જાણીતા થયેલા અને ભારતીય બંધારણનાં ઘડવૈયા એવા શ્રી ડો. આંબેડકરનું પુરુ નામ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતું. તેઓએ વિપરીત પરિસ્‍થિતીઓમાં પણ દેશ-વિદેશમાં અભ્‍યાસ કરીને પી.એચ.ડી. સહિતની અનેક ઉચ્‍ચ ડીગ્રીઓ મેળવી હતી. પોતાની તિક્ષ્ણ બુધ્‍ધીથી ભારતનું આગવું સંવિધાન બંધારણ રચ્‍યું. સામાજીક અસુરક્ષા નવા સ્‍વરૂપે આવીને ઉભી રહી જતી હોય છે. ૧૪ એપ્રિલના દિવસે આ મહાનચક્રના જન્‍મદિને આપણે સૌ તેમના કાર્યોને યાદ કરીને વંદન કરીએ.