મહાવીર જયંતી

જાહેર રજા બેંક રજા
મહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવાય છે. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવવામાં આવે છે.