ચેટીચાંદ / ગુડી પડવો

જાહેર રજા
ભારતીય ઇતિહાસમાં એવા અનેક સિદ્ધ સંત અને અવતાર થઈ ગયા છે જેમણે માનવહિત માટે અને ધર્મની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન અર્પિત કરી દીધું. ભગવાન ઝુલેલાલનો અવતાર પણ માનવજાતને અત્યાચાર અને આતંકમાંથી મુક્ત કરવા માટે થયો હતો. ઝુલેલાલે એક અત્યાચારી રાજાનું હૃદય પરિવર્તન કરીને તેને સદાચાર બનાવી જનહિતનું કાર્ય કર્યું હતું. સિંધી સમુદાયના આરાધ્ય ભગવાન ઝુલેલાલનો જન્મોઉત્સવ ચેટીચાંદરૂપે મનાવવામાં આવે છે. ચેટીચાંદના દિવસે એક નાનકડા કાષ્ઠના મંદિરમાં જળનો કળશ અને જ્યોત પ્રગટાવીને સિંધી સમાજના લોકો આ મંદિરને માથા પર ધારણ કરે છે.