હોળીના તહેવારરના બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધૂળેટી રમે છે. ધૂળેટીનો ઉત્સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધૂળેટીનો ઉત્સવ મનાવાય છે. હિન્દુઓનો મહત્વનો ઉત્સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે.
હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્વરૂપે શ્રીકૃષ્ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિના દેવતા ગણાય છે.