વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા વર્ષ ૨૦૦૦થી દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વ હૃદય દિવસ મનાવાતો હતો. જે વર્ષ ૨૦૧૧થી દર વર્ષે ૨૯મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
વિશ્વમાં હૃદયરોગના લીધે દર વર્ષે ૧ કરોડ ૭૩ લાખ લોકોનું મૃત્યુ થાય છે.જે પૈકીના ૮૦ ટકા મૃત્યુ ભારત સહિતના વિકાસશીલ દેશોમાં થાય છે. ભારતમાં દર સેકેન્ડે ૪ વ્યક્તિનાં મોત હૃદયરોગના લીધે થાય છે. એક ખાનગી સંસ્થા દ્વારા કરાયેલા હેલ્થ સર્વેમાં શહેરમાં નોકરી કરતા ૧૯ ટકા લોકોને હૃદયરોગનું જોખમ હોવાનું જણાવાયું છે.
હૃદયરોગ માટે વારસાગત કારણો,ખોટી જીવનશૈલી, બેઠાડું જીવન, માનસિક તણાવ, હતાશા, ગુસ્સો તમાકુનું વ્યસન, જંકફૂડ અને શારીરિક શ્રમનો અભાવ કારણભૂત છે.
હૃદયરોગનાં કુલ દર્દીઓ પૈકી ૬૦ ટકા પુરુષો અને ૪૦ ટકા સ્ત્રીઓ હોય છે. પુરુષોમાં હૃદયરોગની શરૃઆત સ્ત્રીઓ કરતાં આશરે દશ વર્ષ વહેલી થાય છે.આક્રમક સ્વભાવના અને વારંવાર ગુસ્સો અને ઝઘડો કરતા લોકોને હૃદયરોગ થવાની શક્યતા સૌથી વધુ હોય છે.