રાષ્ટ્રીય શિક્ષક દિવસ

મહાન કેળવણીકાર અને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં એમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણનનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ તામિલનાડુમાં થયો હતો. ભારત સરકાર દ્વારા ઈ.સ. 1964 થી 5 સપ્ટેમ્બરના દિવસને ભારતભરમાં ‘શિક્ષકદિન’ તરીકે ઊજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ડૉ. રાધાકૃષ્ણન એ એક તત્વચિંતક અને રાજપુરુષ હતાં. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા, તેથી તેઓ -ભારતના પ્લેટો- કહેવાતા. જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી મળીને 15થી વધુ ભાષાઓમાં તેઓ નિપુણ હતાં. તેમણે ઘણાં સારા પુસ્તકો લખ્યા છે. ડૉ. રાધાકૃષ્ણન 1962માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. તેઓ 1967 સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. 16 એપ્રિલ, 1975ના રોજ તેમનું અવસાન થયું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વખતે તેમણે કહ્યું કે Our Slogan should not be Power at any Price but Service at any Cost. એટલે કે કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા.