પરિવર્તિની એકાદશી
પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એવો અર્થ અભિપ્રેત છે. ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી સાગરની મધ્યમાં પોઢ્યા હતા અને તે પડખું બદલે છે તે શુભ દિવસ એટલે ભાદરવા સુદ અગિયારસ. પરિણામે આ દિવસે આપણા મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાડવામાં આવે છે.
પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે-જમણે પડખે થાય છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે.
આ એકાદશીને વામન એકાદશી પણ કહે છે. આ એકાદશી પુણ્યકારક, પાપહરણ અને મોક્ષપ્રદા છે. આ દિવસે વામન જયંતિનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ચાતુર્માસની ઉપાસનાનું ફળ પણ આ દિવસે મળે છે.